Tuesday 13 June 2023

JCI નવસારી દ્વારા, માસિક ધર્મ સમસ્યા અને જાગૃતતા અભિયાન અંગેનો સેમિનર 13/ 6 /23 ને મંગળવાર









 માસિક ધર્મ સમસ્યા અને જાગૃતતા અભિયાન અંતર્ગત તારીખ 13/ 6 /23 ને મંગળવારના રોજ JCI નવસારી દ્વારા, માસિક ધર્મ જાગૃતતા અંગેનું સેસન યોજવામાં આવ્યું હતું. શાળાના આચાર્યશ્રી અમીશ મહેતા દ્વારા મુખ્ય મહેમાનોને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ શાળાના વિદ્યાર્થીઓ અને વાલીશ્રીઓને આ કાર્યક્રમમાં સામેલ કરવામાં આવ્યા હતા. શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની હર્ષા ઘોઘારી અને ડોક્ટર પ્રિયંકા મુલતાનીના  માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીનીઓ અને વાલીશ્રીઓના મૂંઝવતા પ્રશ્નોનોનુ નિરાકરણ કરવામાં આવ્યું. વિદ્યાર્થીનીઓ અને વાલીશ્રીઓને આ કાર્યક્રમ દ્વારા જીવનઉપયોગી વિશેષ જાણકારી પ્રાપ્ત થતા સમગ્ર કાર્યક્રમના સંચાલકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.અને શાળાના શિક્ષિકા બેન શ્રીમતી હીના શર્મા  દ્વારા કાર્યક્રમનું સફળ સંચાલન કરવામાં આવ્યું.

No comments:

Post a Comment