Saturday 21 October 2023


 માનસિક સ્વાસ્થ્ય પર સોશિયલ મીડિયા અને ટેકનોલોજીની અસર વિષય પર સેમિનાર






           તારીખ 21/ 10/ 2023 ને શનિવારના ના રોજ રોટરી ક્લબ દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારનો વિષય "માનસિક સ્વાસ્થ્ય પર સોશિયલ મીડિયા અને ટેકનોલોજીની અસર"  હતો. આ સેમિનારના વક્તા ડોક્ટર સ્વાતિ  વિનચુરકર  હતા. ડોક્ટર જીગ્નેશ ભગત, રોટરીયન પિંકલબેન તેમજ અન્ય મેમ્બર્સ પણ ઉપસ્થિત રહ્યા હતા. આચાર્યશ્રી અમીષ મહેતાએ વિદ્યાર્થીઓ અને વાલીશ્રીઓને સ્પર્શ  એવો ટોપિક હોવાથી સૌને આ સેમિનારમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું હતું. આ સેમિનારના વક્તા દ્વારા "મેક  ફેક પ્રોફાઈલ મોબાઈલનો મિસયુઝ "સાઇબર બુલિંગથી વધી રહેલા સુસાઇડ કેસો, સોશિયલ મીડિયાથી બરબાદ થતું સ્ટુડન્ટ કેરિયરઓનલાઇન ગેમિંગ ડિસઓર્ડર જેવી સમસ્યાઓ, તેનાથી સ્વાસ્થ્ય પર થતી ઘાતક અસરો, તેના નિરાકરણ માટેના ઉપાયો, સોશિયલ મીડિયા સિક્યુરિટીની આવશ્યકતા ઓનલાઇન ગેમિંગથી કઈ રીતે બચી શકાય તે માટે યુનિવર્સ સાયબર હેલ્પલાઇન નંબર, ચાઈલ્ડ હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કરવા અંગે સૂચનો કર્યા. facebook ના બદલે safebook નો ઉપયોગ કરી દરેક વિદ્યાર્થીઓએ સેઈફ  રહેવાની ભલામણ કરવામાં આવી. આ સમગ્ર કાર્યક્રમ ppt દ્વારા રજુ કરી વિશેષ માર્ગદર્શન વિદ્યાર્થીઓ, વાલીશ્રીઓ અને શિક્ષકશ્રીઓને આપવામાં આવ્યું. ઉપસ્થિત સૌ માટે ખરેખર આ સેમિનાર નાવિન્યપૂર્ણ  રહ્યો. અંતે ડોક્ટર સ્વાતિમેમ,ડોક્ટર જીગ્નેશ ભગત અને તમામ રોટરીઓનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું.

No comments:

Post a Comment